Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

અમદાવાદ જિલ્લાના રામપુરા-કોઇન્તિયા રોડ નજીક બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક શખ્સનું સારવાર દરમ્યાન મોત

અમદાવાદ:જિલ્લાના રામપુરા- કોઇન્તિયા રોડ ઉપર રીલાયન્સ પેટ્રોલ પંપ સામે બે બાઇક સામસામે અથડાતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી જેમાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યું હતું.

ઉપરોક્ત બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દેત્રોજ તાલુકાના બોસ્કા ગામના કુંવરજી ઠાકોર ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સાંજના સમયે પોતાનું મોટર સાયકલ લઈ ડીઝલ લેવા જઈ રહ્યા હતા ત્યારે કોઇન્તિયા રોડ ઉપર રીલાયન્સ પેટ્રોલપંપ પાસે બાઇક ચાલકે ગફલતભરી અને પુરઝડપે હંકારી કુંવરજી ઠાકોરના મોટર સાઇકલ સાથે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ઉપર સવાર બે જણા અને કુંવરજી ઠાકોર ઇજાગ્રસ્ત થયા હતા જેમાં અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ કુંવરજી ઠાકોરને સારવાર અર્થે કડી બાદમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન કુંવરજી વિસાજી ઠાકોર (રહે. બોસ્કા)નું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવની વધુ તપાસ રામપરા પોલીસ ચલાવી રહી છે. આ અંગેની ફરિયાદ મરણ જનારના પુત્ર મનીષકુમાર કુંવરજી ઠાકોરે નોંધાવી છે.

(5:45 pm IST)