Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વિરમગામના કાસમપુરા નજીક દહેજ મામલે ત્રાસ ગુજરી પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વિરમગામ:શહેરના કાસમપુરા નુરાની મસ્જીદ ફરીયાદીના જણાવ્યા મુજબ ૨૦૧૮માં વણોદ ખાતે રહેતા ઈકલાબભાઈના દિકરા મોઈનખાન પઢીયાર સાથે સમાજના રીતિરિવાજ મુજબ થયેલા લગ્નજીવન દરમ્યાન એક દિકરાનો જન્મ થયેલે. સાસુ, સસરા, જેઠ, દિયર સાથે સંયુક્ત કુટુંબમાં પરિવાર સાથે રહેતા હતા. 

લગ્ન વખતે માતા-પિતાએ સોના-ચાંદીના દાગીના, ઘરવખરીનો સામાન આપેલ હતો. લગ્નના પાંચ છ મહિના બાદ  નાની મોટી બાબતે અવારનવાર ત્રાસ આપતા હતા અને ફોરવ્હીલ ગાડી લાવવાની અવારનવાર માંગણી કરતા હતા. દહેજ લાવવા બાબતે અવારનવાર શારીરિક, માનસિક ત્રાસ આપી ગડદાપાટુનો માર માર્યાની પતિ મોઈનખાન ઈકબાલખાન પઢીયાર (૨) સસરા ઈકબાલખાન દાદભાઈ પઢીયાર, (૩) સાસુ - કુલસુમબાનું પઢીયાર (૪) જેઠ - રીયાઝ ઈકબાલભાઈ પઢીયાર, (૫) દીયર- ફૈસલ ઈકબાલભાઈ પઢીયાર તમામ રહે વણોદ વિરૂદ્ધ વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઈપીકો કલમ ૪૯૮ એ, ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(5:45 pm IST)