Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વડોદરાના મકરપુરા વિસ્તારમાં વહેલી સવારે મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચાંદીના સિક્કા સહીત અન્ય ઘરવખરીની ઉઠાંતરી કરી

વડોદરા:શહેરના મકરપુરા વિસ્તારમાંની તુળજાનગર-2માં આજે વહેલી સવારે ચોર ટોળકી ત્રાટકી હતી. અને મકાનમાંથી ચાંદીના સિક્કા ઘડિયાળ તથા ફ્રીજમાંથી બદામનું પેકેટ પણ લઈ ગયા હતા.

મકરપુરા નોવિનો-તરસાલી રોડ પર આવેલા બી-95 તુળજાનગર-2માં રહેતા સિનિયર સિટીઝન ઘનશ્યામ પરશોત્તમભાઇ પટેલ(ઉ.68) નિત્યક્રમ મુજબ વહેલી સવારે ઉઠીને ચાલવા નીકળ્યા હતા અને ઘર ની જાળી બહારથી બંધ કરીને ગયા હતા તે દરમિયાન ચોર ટોળકી ઘરમાં ઘૂસી હતી અને તોડફોડ શરૂ કરી ચાંદીના સિક્કા ઘડિયાળ અને બદામનું પેકેટ મેળવી લીધું હતું તે દરમિયાન ચોર ટોળકી ઘરમાં પ્રવેશી, ત્યારે પત્ની ચંદ્રિકાબેન બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા. ઘરમાં અવાજ આવતા ચંદ્રિકાબેન બાથરૂમમાંથી બહાર નીકળતા હથિયારધારી બે ચોરને જોઇને જોરથી ચોર..ચોર..કરીને બૂમો પાડતા ચોર ટોળકી નાસી ગઈ હતી. વહેલી સવારે સીનીયર સીટીઝન ઘનશ્યામભાઈ ચાલવા નીકળ્યા અને ઘર બહાર મોટરસાયકલ ઉપર એક વ્યક્તિ ઉભો રહ્યો અને અન્ય બે ચોર ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરી હતી. ચોર ટોળકીએ ઘરની તિજોરી તોડીને તેમાંથી ચાંદીના સિક્કા ઘડિયાળ અને ફ્રીજમાં મૂકેલું બદામનું પેકેટ લઇ ગયા હોવાનું જણાવ્યું હતું જે અંગે સિનિયર સિટીઝન દંપતીએ પોલીસને જાણ કરતાં મકરપુરા પોલીસ સ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:42 pm IST)