Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

૭૧ લાખ પરિવારોને જન્માષ્ટમી ટાણે કપાસીયા તેલ અપાશે

રાજકોટ તા.૧૭ : રાજય સરકાર જન્માષ્ટમીના તહેવારો નિમિતે ઓગષ્ટમાં ૭૧ લાખ ગરીબ પરિવારોને કાર્ડ દીઠ એક-એક લીટર કપાસીયા તેલ વિતરણ કરવાનું નકકી થયાનું જાણવા મળે છે. ખાદ્ય સુરક્ષા કાયદા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મેળવતા તમામ ૭૧.પ૪ લાખ જેટલા પરિવારોને રાહતદારના કપાસીયા તેલનો લાભ મળવાપાત્ર થશે.

સરકાર દ્વારા કપાસીયા તેલ ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. ગયા વર્ષે જેટલા પરિવારને તેલનો લાભ મળેલ તેના કરતા આ વખતે વધુ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે.

તેલ એક લીટરના પાઉચમાં અપાશે તેની કિંમત અને વિતરણ સમય હવે પછી જાહેર થશે. કપાસીયા તેલ ઉપરાંત રેશનકાર્ડ પરથી રાહતદરનું વિતરણ યથાવત રહેશે.

(4:13 pm IST)