Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સુરતના મહુવાના આંગલધરા ગામે પુત્રની હત્યા થયા બાદ પિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર

પુત્રની હત્યાની બનેવી અને તેના પિતા પર આશકા હતી :દુઃખી પિતાએ દીકરીના ઘરે ફાંસો ખાદ્યો

સુરતના મહુવા તાલુકાના આંગલધરા ગામે પુત્રની હત્યા થયા બાદ પિતાએ પણ આત્મહત્યા કરી લીધી છે. થોડા દિવસ પહેલા ખેડૂત સંજય દેસાઈની હત્યા થઇ હતી. ઘટના બાદ સંજયના બનેવી અને તેના પિતા દિલીપ દેસાઈ પર આશંકા હતી.

દુઃખી પિતાએ પોતાની દીકરીના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. સંજય દેસાઈની હત્યા બાદ પરિવાર જનોએ દિલીપ દેસાઈને ઘરમાંથી જાકારો આપી દેવાયો હતો. જેથી તેઓ ડિગ્રિમોરા ગામે રહેતી તેમની દીકરીને ઘરે રહેવા જતા રહ્યા હતા. જો કે આજે વહેલી સવારે દિલીપ દેસાઈએ દીકરીના ઘરની છત પર લોખંડના સેડ સાથે વાયર વડે ફાંસો ખાદ્યો હતો. પારિવારીક ઝઘડો સંજય દેસાઈની હત્યા માટે કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું

(11:54 pm IST)