Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

એકના એક પુત્રે, પત્નિ સાથે બાઈક ઉપર આવી કેનાલમાં ઝંપલાવ્યું: બન્નેના કરૂણ મોત

અમદાવાદઃ બનાસકાંઠાના થરાદની મુખ્ય કેનાલમાં ઝંપલાવીને દંપતીએ જીવન ટૂંકાવ્યું છે. વાવ તાલુકાના માડકા ગામના પતિ પત્નીએ બાઇક પર આવતાની સાથે જ કેનાલમાં ઝંપલાવ્યું હતુ. એકના એક પુત્રએ પત્ની સાથે કેનાલ ઝંપલાવીને આપઘાત કરી લેતા માતા-પિતા ઉપર આભ ફાટી પડ્યું હતું      આ ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બે વર્ષ આગાઉ મૃતક વિરમભાઇના લગ્ન થયા હતા. તરવૈયાની મદદથી બંન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા કેનાલ પર લોકો દોડી આવ્યા હતા. હાલ દંપતીએ કયાં કારણે આત્મહત્યા કરી છે તે જાણી શકાયું નથી.

(3:26 pm IST)