Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વલસાડ જિલ્લામાં કોરોના કહેર યથાવત : નવા ૯૬ કેસો નોંધાયા :વધુ ૫ દર્દી ઓના કરુણ મોત.

જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : રાજ્ય ભર માં એકદંરે કોરોના નાં કેસો ઘટી રહિયા છે પરંતુ વલસાડ જિલ્લામાં છેલ્લા આશરે ૧૫ દીવસ થી લોક ડાઉન હોવા છતા કોરોના કહેર યથાવત જણાય છે.
  વલસાડ જિલ્લાના તાલુકા ઓ માં આજે એટલે કે ૧૭ મી મે નાં રોજ વલસાડ ૨૮, પારડી ૧૪, વાપી ૧૯, ઉમરગામ ૨૨,  ધરમપુર ૧૧, અને કપરાડા ૨ મળી ૯૭ નવા કેસો આવેલ છે.
  તેમજ વધુ ૫ દર્દી ઓ ના કરુણ મોત નીપજ્યા છે, જેની સામે આજે ૮૭ દર્દી ઓ કોરોના મુકત થઇ શક્યા છે. જીલ્લા માં હાલ ૧૦૪૩ દર્દી ઓ સારવાર હેઠળ છે.
   હાલ તોકતે વાવાઝોડા ની અસર ને લઈ ને જીલ્લા ભર માં ઘેરાયેલ વાતાવરણ વચ્ચે પવન નાં સુસવાટા સાથે હળવો વરસાદ ચાલુ છે.

(7:57 pm IST)