Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અમદાવાદમાં નિઃસહાય અપંગોને ચારધામની યાત્રા કરાવવાનું કહી ઠગોએ 1 લાખથી વધુની રકમની છેતરપિંડી આચરતા તપાસ શરૂ

અમદાવાદ:શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો બનતા હોય છે. પરંતું વસ્ત્રાપુરમાં નિઃસહાય અપંગો અને દિવ્યાંગો સાથે છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. જેમાં અપંગોને ચારધામની યાત્રા કરાવવાનું કહીને તેમની પાસેથી ૧ લાખથી વધુ રકમ ઉઘરાવીને છેતરપિંડી કરવામાં આવી હતી.

કલોલમાં રહેતા આરોપી દર્પણ પંડયાએ વસ્ત્રાપુરના અપંગ માનવ મંડળ તથા અન્ય કેન્દ્રોના અપંગ અને દિવ્યાંગ યુવક યુવતીઓ તથા તેમના સંબંધીઓને બસમાં યાત્રાએ લઈ જવાની લાલચ આપી હતી. જોકે અપંગ બાળકો અને સંબંધીઓને શંકા જતા તેમણે આરોપીને ઝડપી લઈને સેટેલાઈટ પોલીસને સોંપી દીધો હતો.

(5:23 pm IST)