Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

જનઔષધિ સ્ટોરમાં દવા મળતી નથી, સરકારી પરિપત્ર નિષ્ફળતાનું કબુલાતનામું

પ્રચાર કર્યો એવું કામ ન બતાવ્યું : ઇન્જેકશન ઘોકાવતા ડો.મનીષ દોશી

અમદાવાદ તા. ૧૭ : સામાન્ય માનવીને આરોગ્ય વિષયક દવાઓ અને સાધનો પોસાય તેવા દરે સરળતાથી મળી રહે અને જેનરીક દવાઓના સ્ટોર્સને પ્રોત્સાહન મળે તેવી મોટી મોટી - ખોટી ખોટી જાહેરાતો ચુંટણી સમયે ૧૨ કરોડ રૂપિયા કરતા વધુ ખર્ચે હોડિંગ્સ અને અન્ય રીતે પ્રસિધ્ધિ કરનારના મોટા ભાગના જનઔષધિ સ્ટોર્સમાં દવાઓ મળતી નથી અને ચાલતા નથી તેવા તા.૮-૫-૨૦૧૮ના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના પરિપત્રમાં નિષ્ફળતાનું સ્વીકારનામું છે. ત્યારે રૂ. ૧૨ કરોડની મોટી મોટી ખોટી ખોટી જાહેરાતો અને રૂ. ૩૦ કરોડના ખર્ચે સરકારી તિજોરીના નાણાના વેડફાટ અંગે ભાજપ સરકારની હિસાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતુ કે, ભાજપ સરકારે ચુંટણી નજીક આવતા અનેક જાહેરાતો તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ઓગષ્ટ ૨૦૧૬માં જન ઔષધિ સ્ટોર્સના નામે ઉદઘાટનો કર્યા. જે બાવન જેટલા જન ઔષધિ સ્ટોર્સ સરકારી હોસ્પિટલના પરિસરમાં જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી. આજે ૨૦ મહિના કરતા વધુ સમય થયો હોવા છતા જન ઔષધિ સ્ટોર્સમાં મોટા ભાગની દવાઓ દર્દીઓને મળતી નથી. ઓછા ભાવે જેનરીક દવાઓ મળશે તે અપેક્ષાએ જનઔષધિ સ્ટોર્સમાં જનાર દર્દીના પરિવારજનો નિરાશ થઇને પરત થવું પડે છેે. જનઔષધિ સ્ટોર્સમાં ઉપલબ્ધ દવાઓના ભાવો મનફાવે તે રીતે વસુલાય છે. એક જ દવાના દરેક જેનરીક સ્ટોર્સમાં અલગ અલગ કિંમત તે સ્ટોર્સના સંચાલકો વસુલે છે.

જન ઔષધિ સ્ટોર્સ એ ચંુટણી સમયે રાજય સરકારની જાહેરાત ફરી એક વખત નિષ્ફળ સાબિત થઇ છે. ઇચ્છાશકિતના અભાવે પરવડે તેવા ઓછા ભાવમાં જેનરીક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં રાજય સરકાર સદંતર નિષ્ફળ ગઇ છે.

(3:53 pm IST)