Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

નર્મદા જિલ્લામાં શુક્રવારે ૨૩ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૫૮૯ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૨૩ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં માછી માર્કેટમાં ૦૧, દોલત બજારમાં ૦૧, ગુજરાત હાઉસિંગમાં ૦૧ તથા નાંદોદના તરોપા માં ૦૧, ધાનપોરમાં ૦૧, વડીયા માં ૦૨, આમલેથા માં ૦૧, રામપુરામાં ૦૧, વાવડીમાં ૦૧, લાછરસ મા ૦૧ તથા ગરુડેશ્વર ના કોઠીમાં ૦૧, કારેલી માં ૦૧, મોજરામાં ૦૧, આમદલા માં ૦૧ તથા દેડિયાપાડાના બોગજમા ૦૧, આંબાવાડીમાં ૦૧, દેડિયાપાડામાં ૦૧, માથાસર માં ૦૧ તથા સાગબારાના ખડકુની મા ૦૧, સેલંબા માં ૦૧,ધાવલીવર માં ૦૧, સાગબારા માં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૩ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૬૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૪૧ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૪૨ દર્દી દાખલ છે, આજે ૧૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૪૨૮ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૫૮૯ પર પહોચ્યો છે.આજે વધુ ૧૫૩૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે

(12:25 am IST)