Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

13મી જુલાઈએ જમાલપુરથી ભગવાન જગદીશની રથયાત્રા :અખાત્રીજે રથનું પૂજન કરી તૈયારી શરુ

અમદાવાદ ;આગામી 13 જુલાઈએ અમદાવાદના જમાલપુર મંદિરથી ભગવાન જગદીશની 141મી રથયાત્રા નીકળશે.અખાત્રીજના દિવસથી ભગવાનના રથનું પૂજન કરી તેનાં સમારકામનો પ્રારંભ કરીને રથયાત્રાની તૈયારીઓ શરુ કરાઈ છે
  અમદાવાદની રથયાત્રા એક દિવસની હોય પણ તેની શરૂઆત અખાત્રીજના દિવસથી જ થઈ જાય છે. રથયાત્રાને લઈને વિવિધ પરંપરાગત તૈયારીઓ વણજોયા મુહૂર્ત ગણાતા અક્ષય તૃતીયાના દિવસથી શરૂ કરવામાં આવે છે. આ દિવસે ભગવાનના ત્રણેય રથનું વિધિવત રીતે પૂજન કરીને તેના સમારકામની શરૂઆત કરી રથોની સફાઇ કરી તેને સજાવામાં આવશે.

   જગન્નાથ પુરીમાં દર વર્ષે અખાત્રીજના દિવસથી લાકડામાંથી નવા રથ બનાવવાનો પ્રારંભ થાય છે. પરંતુ અમદાવાદમાં જૂના રથનું સમારકામ કરીને તેમાં શણગાર કરવામાં આવે છે. આ વર્ષે જેઠ મહિનામાં અધિક માસ આવે છે. પ્રથમ જેઠ મહિનો અધિક હોવાથી રથયાત્રા એક મહિનો મોડી નિકળશે. જેને કારણે રથયાત્રાની તૈયારી કરવામાં વધુ એક મહિનો મળશે.

(11:55 pm IST)