Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

નર્મદા બચાવોના બેનર હેઠળ ભરૂચમાં માછીમાર સમાજની વિશાળ રેલી :કાળા વાવટા ફરકાવી સુત્રોચાર કર્યા

દરિયાને ભરૂચ તરફ આગળ વધતો અટકાવવા નર્મદામાં પુરતું પાણી છોડવું જોઈએ.

 

ભરૂચ : નર્મદા બચાવોના બેનર હેઠળ ભરૂચમાં માછીમાર સમાજની વિશાળ રેલી યોજાઈ હતી અને કાળા વાવટા ફરકાવી સુત્રોચાર કર્યા હતા નર્મદા નદીના જળસ્તર સુકાઈ જતાં ભરૂચ જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં ખારાશનું પ્રમાણ વધી રહ્યું છે. જેના પગલે માછમાર સમાજને પણ માછીમારી માટે સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે નર્મદા બચાવોના બેનર હેઠળ ભરૂચમાં વિશાળ રેલીનું આયોજન કરાયું હતું

 

   સાથો સાથ રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરતા કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ભરૂચના માર્ગો ઉપર નીકળેલી રેલીએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. માછીમારોની માંગ છે કે દરિયાને ભરૂચ તરફ આગળ વધતો અટકાવવા નર્મદામાં પુરતું પાણી છોડવું જોઈએ.

(12:02 am IST)