Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

અમદાવાદમાં પુત્રવધુ ઉપર સસરા અને નણદોયાએ કર્યો બળાત્કારનો પ્રયાસ : લગ્ન બાદ જાણ થઇ પતિ નામર્દ છે

અમદાવાદઃ ઉન્નાવ અને કઠુઆમાં ગેંગરેપ અને હત્યાના મામલે દેશભરમાં રોષ ફાટી નીકળયો છે ત્યારે ગુજરાતમાં પણ સુરતના હેવાનિયતનો કિસ્સો બહાર આવ્યો છે તેવામાં એક પરણિતા ઉપર સસરા અને નણદોયાએ બળાત્કારનો પ્રયાસ કર્યાનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષીત છે. તેવા બણગાં જ ફૂંકાય છે સુરતમાં એક નાની બાળકી સાથે દુષ્કર્મનાનો હજૂ કોયડો પણ નથી ઉકેલાયો તેવામાં અમદાવાદમાં પુત્રવધૂ પર તેના જ સસરા, નણદોયાએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો .
   અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં આ યુવતીના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. પરંતુ લગ્ન બાદ યુવતીને જાણ થઈ કે તેનો પતિ નામર્દ છે.

 

(9:19 am IST)