Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

પાટીદાર સમાજ કે પાસને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસમાં જોડાતા હવે રોષનો ભોગ તો બનવું જ પડશે :લાલજી પટેલ

હાર્દિક પટેલ સમાજનો મુદ્દો ભુલી પાર્ટી માટે વ્યક્તિગત લડાઈ લડવા લાગ્યો

અમદાવાદમાં પાસના સ્નેહમિલન કાર્યક્રમમાં બઘડાટી બોલતા ભારે અફરાતફરી મચી જવા પામી છે ત્યારે આ મુદ્દે એસપીજી નેતા લાલજી પટેલે જણાવ્યું કે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા પાટીદાર સમાજમાં કેટલાએ લોકો નારાજ છે. હાર્દિક પટલને પાટીદાર સમાજે નેતા બનાવ્યો અને તેણે પાટીદાર સમાજને કે પાસના કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસ સાથે જોડાઈ ગયો, જેનો આ રોષ છે.  

      લાલજી પટેલે વધુમાં કહ્યું કે હાર્દિક પટેલે અને મે એક મંચ પર જાહેરાત કરી હતી કે, અમારી લડાઈ માત્ર સમાજ માટેની છે, અમે ક્યારે પણ રાજકારણમાં નહી જોડાઈએ. પરંતુ હાર્દિક પટેલ ધીરે ધીરે કોંગ્રેસ તરફી રાજકારણ રમવા લાગ્યો અને આખરે તેણે કોંગ્રેસ સાથે જોડાવાની જાહેરાત કરી દીધી. હાર્દિક પટેલ સમાજનો મુદ્દો ભુલી પાર્ટી માટે વ્યક્તિગત લડાઈ લડવા લાગ્યો, હવે હાર્દિકે સમાજના રોષનો ભોગ તો બનવું જ પડશે.

(9:02 pm IST)