Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

હિંમતનગરના ઘોરવાડામાં મકાનમાં દટાયેલ ચારુ ગોતવાની વાતમાં શખ્સે જીવ ગુમાવ્યો

સાબરકાંઠા:ના હિંમતનગરના ઘોરવાડા ગામે ફારુક મનસુરી નામના શખ્શ સાથે. તેના મનમાં લાલચ ઘર કરી ગઇ હતી કે પોતાના જૂના મકાનમાં ચરુ દટાયેલો છે. અને તે પણ સોનાનો ચરુ છે. બસ, પછી તો પુછવું જ શું?  આ વાતને લઇને ફારુક ભાઇ અવારનવાર પોતાના ગામડે ઘોરવાડા ગામે આવેલા પોતાના જુના મકાનમાં તાંત્રીક વિધી કરાવતા હતા. એક દિવસ સોનાના ચરુ મળશે અને પોતે માલામાલ થઈ જશે તેવા સપના જોતા હતા.

દરમિયાન ત્રણેક દિવસ અગાઉ પોતાના ઘરે સોનાના ચરુ મેળવવા માટે તાંત્રિક વિધી કરી હતી અને આ વિધી માટે જાણકાર તાંત્રિકોને પણ પોતાના ઘરે લઇ આવ્યા હતા. એટલુંજ નહિં સોનાના ચરુ મેળવવા માટે ઘરમાં એક ખૂણામાં ખાડો પણ ખોદી નાંખ્યો હતો. પણ વિધિની વક્રતા તો એ હતી કે તે ખાડો જ તેની કબર બની ગયો. ખાડામાંથી સોનાના ચરુ મળવાને બદલે તેમના પરીવારજનોને ફારુક ભાઇની લાશ હત્યા કરેલી મળી આવી. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના ઘોરવાડા ગામે આ મકાનમાંથી તેના માલિકની લાશ મળી આવી.

આ હત્યાની તપાસ કરતા પોલીસને સાંપડેલી વિગતોએ આ ઘટનાનું રહસ્ય છતું કરી દીધું. ઘરમાં સોનાના ચરુ હોવાને લઇને તે મેળવવા માટે કરાવાતી તાંત્રિક વિધી દરમ્યાન તેની જ હત્યા કરાયી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ હત્યારાઓને શોધી રહી છે.

(6:25 pm IST)