Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

દેવગઢ બારીયાના પીપલોદનગરમાં પ્રેમ યુગલે સજોડે ગળાટુંપો ખાઇ લીધોઃ સાથે નહીં જીવી શકવાના ડરથી અંતિમ પગલુ ભર્યું

દાહોદઃ દેવગઢ બારીયાના પીપલોદનગરમાં પરિણીત મહિલા અને તેના ૧૯ વર્ષીય યુવાન પ્રેમીઅે સાથે નહીં જીવી શકવાના ડરથી ગળાફાંસો ખાઇ સજોડે આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનો સહિત ગ્રામ્ય પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પીપલોદમાં આવેલા તળાવ ફળિયામાં રહેતા અલ્પેશ પટેલ નામના 19 વર્ષના યુવાનને કાલોલ તાલુકાના મેડીયાકુવા ખાતે  મહિલા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. 

અલ્પેશ પટેલ તેને ઘરે લઈ આવ્યો હતો અને બંને સાથે પતિ પત્ની તરીકે રહેતા હતા.જોકે મહિલા પહેલેથી પરિણીત હતી  અને આ ઘટના બાદ તેમના પતિએ પોલીસમાં ફરિયાદ આપી હતી.જેના પગલે અલ્પેશના પરિવારજનોએ મહિલાને તેના પરિવાજનોને સોંપી દીધી હતી.એ પછી આ મહિલા  તેમના પરિવારજનો સાથે જ રહેતી હતી. 

જોકે ગઈકાલે તે ફરી અલ્કેશના ઘરે તેને મળવા માટ આવી હતી..ઘરમાં તે સમયે કોઈ હતુ નહી.બંને પ્રેમીઓએ ફરી છુટા ના પડવુ પડે તેમાટે ઘમાં જ ગળફાંસો ખાઈને મોતને ગળે લગાડી દીધુ હતુ.

(5:06 pm IST)