Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

બાથરૂમમાં મૂક બધીર યુગલનાં મૃતદેહ મળતા રહસ્ય ઘેરાયું

સુરતમાં સહજીવન શરૂ કરે તે પહેલાં જ મોત : મૂક બધિર યુગલની સગાઈના ૧૫ દિવસ બાદ રહસ્યમય મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

સુરત,તા.૧૭ : સુરતમાં મૂક બધિર યુગલોની સગાઈના ૧૫ દિવસ બાદ રહસ્યમય મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે શહેરના નાનપુરા વિસ્તારમાં એક ફ્લેટના બાથરૂમમાં બંનેના મૃતદેહ મળી આવ્યા છે બનાવની જાણ થતા અથવા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો  અને  બંનેની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર ઘટનાને લઇ પરિવારમાં શોક છવાઈ ગયો છે જોકે અહીં ચોંકાવનારી વાત છે મૂકબધિર યુવતી છેલ્લા પાંચ દિવસથી સાસરે રહેતી હતી અને સગાઈથી ખુશ પણ હતી તેમ છતાં રહસ્યમય મોતને લઈને અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા રાજનગરમાં ધરમપુર વલસાડની યુવતી ધૃતિ કુમાર જયેશભાઈ પટેલ પરિવારની એકની એક દીકરી હતી પરંતુ તે મૂક બધિર હતી એટલે કે બોલી કે સાંભળી શકે તેવી હતી ધ્રુતિની સુરતના નાનપુરા ખાતે રહેતા અર્પિત નરેશભાઈ પટેલ સાથે ૧૫ દિવસ અગાઉ સગાઇ થઇ હતી અને પાંચ દિવસથી સાસરે રહેતી હતી જોકે ગતરોજ સાંજે બન્ને યુવકોના બાથરૂમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

અર્પિતની બહેન ઘરે આવ્યા બાદ તેના ભાઈ ભાભી દેખાતા તેણે શોધખોળ કરી હતી જેમાં બાથરૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવતા તેણે તરત ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી બનાવની જાણ થતા અથવા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી ધૃતિ કુમારી ઘરમાં સાડી ભરવાનું કામ કરતી હતી અને એક ભાઈ અને પિતા દરજી કામ કરતા હતા. પરિવારના જણાવ્યાનુસાર મને મૂક બધિર હોવાના કારણે એકબીજા સાથે વાત કરી શકતા નહોતા જેને લઇને તેઓ સોશિયલ મીડિયા કે વાતો કરતા હતા અને બંને વચ્ચેના સંબંધો પર સુમેળ ભર્યા હતા અને એકબીજા વગર રહી શકતા હતા જો કે ધ્રુતિ કુમારી છેલ્લા પાંચ દિવસથી સાથે રહેતી હતી જે બાથરૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા છે તે બાથરૂમના પાણીનો નળ પણ ચાલુ હતો અને દરવાજો પણ ખુલ્લો હતો. મૃતક યુવક નાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી રંગ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો અને તેને એક બહેન પણ હતી જે નોર્મલ હતી અને પિતા સાથે આયુર્વેદિક દવાખાનું ચલાવે છે અને  અર્પિત મોલમાં નોકરી કરતો હતો.

બંને નાં એપ્રિલમાં લગ્ન લેવાની વાત કરતા હતા. બંને નાં મોત બાથરૂમમાં ગીઝર-ગેસનું લીકેજ થવાથી ગૂંગળામણથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ સત્ય હકીકત પોસમોર્ટમ રીપોર્ટ બાદ માલુમ પડશે.

(7:35 pm IST)