Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ભાડૂઆત માલિકની દાગીના ભરેલી તિજોરી ઉઠાવી ગયો

અમદાવાદના બાપુનગર વિસ્તારની ઘટના : મકાનમાલિકે ફ્લેટમાં તપાસ કરતાં ભાડૂઆતનો સામાન નહોતો, તિજોરીવાળા રૂમનું તાળું ખોલી જોતા તિજોરી ગાયબ

અમદાવાદ,તા.૧૭ : અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ચોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાડુઆત મકાન માલિકની લાખોના દાગીના ભરેલી તિજોરી ઉઠાવી ગયો છે. મળતી માહિતી પ્રમાણે બાપુનગરમાં રહેતા તથા એમએસએમઈ ડિપાર્ટમેન્ટમાં ઉપનિર્દેશક તરીકે નિવૃત થયેલા ૬૧ વર્ષીય સીનિયર સિટીઝને સરસપુરમાં ભારેડ આપેલા મકાનમાંથી ભાડુઆત ૨૫ કિલો ચાંદી સહિતના દાગીના મૂકેલી લોખંડની તિજોરી ઉઠાવી ગયો છે. અંગે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચાંડી અને દાગીનાના જે તે સમયની કિંમતના આધારે રૂ. .૮૦ લાખની મતાની ચોરીની ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ બાપુનગરની શક્તિકુંજ સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષીય પ્રવીણભાઈ પરમાર ભારત સરકારના સ્જીસ્ઈ મંત્રાલયની અમદાવાદ શાખામાં ઉપનિર્દેશક તરીકે ફરજ બજાવી નિવૃત થયા હતા. તેમની પુત્રી બેંકમાં નોકરી કરતી હોય તેમના ઉપયોગ માટે તેમણે સરસપુરના ઈન્ડિયાલ બુલ્સ સેન્ટ્રમમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. જેમાં પ્રવીણભાઈએ તેમની દીકરીનો ઘરવખરીનો સામાન ઉપરાંત વડીલોપાર્જિત મળેલી ચાંદીના એક કિલો વજનના એક એવા ૨૫ ચોરસા સહિતના સોના-ચાંદીના કુલ રકમ .૮૦ લાખની મતા લોખંડની તિજોરીમાં મૂકી હતી.

દરમિયાનમાં તે સોસાયટીના સેક્રેટરી પ્રભુસિંહ શ્રરીલસિંહ ગુર્જરના કહેવાથી તેમણે ૫૫૦૦ માસિક ભાડે ફ્લેટ મનિષ જયંતિલાલ સથવારા નામના વ્યક્તિને આપ્યો હતો. પરંતુ જે રૂમમાં દાગીના મૂક્યા હતા હતા તેને તાળું માર્યું હતું. જો કે, થોડા સમયમાં બાદ તેને ભાડુઆતને ફ્લેટ ખાલી કરવા જણાવ્યું હતું. નિયત સમયગાળામાં ભાડુઆતે ફ્લેટ ખાલી કર્યો હોવાથી તેઓ અવાર-નવાર ફોન કરતા હતા પરંતુ ફોન બંધ આવતો હતો. સોસાયટીના સેક્રેટરી પ્રભુસિંહે તેમને ફ્લેટ પર આવી તાળું મારીને જવાનું કહેતા તેમને શંકા થઈ હતી અને રવિવારે તેઓ તેમના દીકરા સાથે ફ્લેટ પર પહોંચ્યા હતા ત્યારે ભાડુઆતનો કોઈ સામાન મળી આવ્યો નહોતો. તેમજ તિજોરીવાળા રૂમનું તાળું ખોલીને જોતા દાગીના ભરેલી તિજોરી ગાયબ હતી.

(7:34 pm IST)