Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

વીમા કંપનીઓને લગતી ફરિયાદના નિવારણ માટે વીમા લોકપાલ કચેરી કાર્યરત સબંધિત પ્રશ્નોના ઉકેલ માટે અરજદાર સંપર્ક કરી શકશે : કોઈપણ ખર્ચ થતો નથી

અમદાવાદ : વીમા કંપનીઓ દ્વા૨ા તેમને મળતી વીમા અંગેની ફરિયાદોનું નિયત સમયગાળામાં નિરાકરણ લાવવામાં આવે છે પરંતુ અમુક કેસોનું વીમા કંપનીઓ દ્વારા ઉકેલ લાવી શકાતો નથી,આથી વિવિધ અરજદારો દ્વારા વીમા કંપનીઓને સબંધિત પ્રશ્નોના ઉકેલ લાવવા સંદર્ભેની ફરિયાદો અંગેની ઘણી રજૂઆતો નાણાં વિભાગ ખાતે  મળે છે. વીમા કંપનીઓ નાણાં વિભાગ, ગુજરાત સરકારના શીઘા નિયંત્રહેઠળ આવતી ના હોય તે  રજૂઆતોના સંદર્ભમાં અત્રેથી કાર્યવાહી કરી શકાતી નથી,

 વીમા લોકપાલના કાર્યાલય દ્વારા ફરિયાદોનું નીતિ નિયમો અનુસાર ટૂંકા સમયગાળામાં નિવારણ  આવે છે અને અરજદારોને તે માટે કોઈ ખર્ચ કરવો પણ પડતો નથી વીમા કંપનીઓને સબંધિત પ્રશ્નોનું અરજદાર વીમા લોકપાલના કાર્યાલયનો સંપર્ક કરી ઉકેલ લાવી શકે છે,વીમા લોકપાલની કચેરીનું સરનામું આ મુજબ છે

 વીમા લોકપાલશ્રી વીમા લોકપાલશ્રીનું કાર્યાલય

જીવન પ્રકાશ બિલ્ડીંગ, છઠ્ઠો માળ  તિલક માર્ગ

રિલીફ રોડ અમદાવાદ - 380001

(6:50 pm IST)