Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

અનામત વર્ગની મહિલાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : પ્રવીણ રામ

હાઈકોર્ટમાં સુનાવણી છે તો પરિપત્ર રદ કર્યાનું સોગંદનામુ રજુ કરે

 

અમદાવાદ : સરકારે સમાધાન ફોર્મ્યૂલા કાઢી હોવા છતાં અનામત વર્ગનું આંદોલન ચાલુ રહેશે તેવી જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામે નિર્ણય કર્યો છે. પ્રવીણ રામે કહ્યું કે સરકારે કટ ઓફ માર્ક્સ બાબતે સ્પષ્ટીકરણ કર્યું છે. ઠરાવ રદ્દ કરવા બાબતે કોઈ સ્પષ્ટીકરણ થયું નથી. અનામત વર્ગની મુખ્ય માગ પહેલી ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ કરવાની છે. જોકે સરકારે પરિપત્ર રદ કરતાં તેઓ રોષે ભરાયા છે.

આગેવાનોએ કહ્યું કે હવે અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. તેમણે એવી પણ માગ કરી છે કે સોમવારે 18 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી છે તો પરિપત્ર રદ કર્યાનું સોગંદનામુ રજુ કરે. મહિલાઓના આંદોલનને 70 દિવસ વિત્યા છે. અને જ્યાં સુધી અનામત વર્ગની મહિલાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ બન્યા છે

(10:51 pm IST)