Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમ પર કામ કરતા કામદારનું પડી જતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડિયા તરફ નર્મદા બંધ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હરણફાળ વિકાસ જરૂર થઈ રહ્યો છે પરંતુ ત્યાં કામ કરતા કર્મચારીઓ ની સેફટી બાબતે તંત્ર તદ્દન લાપરવાહ હોય એમ લાગી રહ્યું છે જેના કારણે અવાર નવાર અકસ્માતો માં મોત થતા જોવા મળે છે.

 સરદાર સરોવર ડેમ ઉપર કામ કરી રહેલા વિજયકુમાર રામધની બીંદ (ઉ.વ ૩૦) રહે.બીટી તા.જી, અલ્હાબાદ (યુ.પી) ગત તારીખ ૧૫ ફેબ્રુઆરી એ કામ કરતા અચાનક પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે ગરૂડેશ્વર ખાતે દાખલ કર્યા બાદ વધૂ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરતાં ફરજ ઉપર ના તબીબે તેને મૃત જાહેર કરતા કેવડિયા પોલીસે અ. મોત નોંધી તપાસ હાથ ધરી છે.

(6:37 pm IST)