Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

આણંદ: બોરસદ ચોકડી નજીક અગમ્ય કારણોસર પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા અકસ્માતે મોતનો ગુનો દાખલ

આણંદ: શહેરની બોરસદ ચોકડીએ આવેલી પોલીસ લાઈનમાં રહેતા પોલીસ જવાન રાજેશભાઈ નારણભાઈ મકવાણાની પત્ની રશ્મિકાબેન (ઉ. વ. ૨૭)એ ગઈકાલે રાત્રીના સુમારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર કલેક્ટરના કમાન્ડો તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ મકવાણા બોરસદ ચોકડીએ આવેલી પોલીસ લાઈનમાં પત્ની અને એક પુત્ર સાથે રહેતા હતા. આજે સવારના પોણા આઠેક વાગ્યાના સુમારે તેઓ ઉઠ્યા ત્યારે પત્ની પંખાએ ચાદરનો ગાળીયા બનાવીને લટકેલી હાલતમાં જોવા મળી હતી જેથી તેણીને નીચે ઉતારીને તુરંત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.

(5:35 pm IST)