Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

નરોડામાં ત્રિરંગા યાત્રા :પાકિસ્તાન વિરોધી સુત્રોચાર સાથે મહારેલી યોજાઈ

રેલીમાં મહિલાઓ પણ જોડાઈ :બે મિનિટ મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

અમદાવાદ: જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં મોટી સંખ્યામાં CRPFના જવાનો શહીદ થયા છે. આતંકીઓ દ્વારા કરાયેલ હુમલાની દેશભરમાંથી ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે નરોડા વિસ્તારના સ્થાનિકો દ્વારા તિરંગા યાત્રા કાઢીને પાકિસ્તાન વિરોધી સુત્રોચ્ચાર સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા

. આ તિરંગા યાત્રામાં અનેક મહિલાઓ પણ જોડાઇ તો સાથે મહારેલીમાં ડીજેના માધ્યમથી દેશભક્તિના ગીતો સાથે લોકોમાં એક અનોખો જ આક્રોશ જોવા મળ્યો. સ્થાનિકો દ્વારા શહીદોના માનમાં મૌન પાડવામાં પણ આવ્યું હતું

 

 

(5:56 pm IST)