Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

શારીરિક માનસિક ત્રાસ ગુજારતા ભિલોડાની પરિણીતાએ કેરોસીન છાંટી આગ ચાંપી

ભિલોડા:તાલુકાના જનાલીટાંડા ગામે પરણીતાને શારિરીક માનસિક ત્રાસ અપાતાં અને પરણીતા એ કંટાળી શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી દેતાં ચકચાર મચી હતી.જયારે ગંભીર રીતે દાઝી ગયેલ મહિલાને સારવાર હેઠળ ખસેડાઈ હતી અને ૪ સાસરીયાઓ વિરૃધ્ધ ગુનો નોંધાયો હતો. વડાલી તાલુકાના નારણપુર ગામના મથુરભાઈ મોરસીંગભાઈ વણજારા ની દીકરી નગીનાબેન ને ભિલોડા તાલુકાના જનાલીટાંડા ગામના નરેશભાઈ વણજારા સાથે સમાજના રીતી રીવાજો મુજબ લગ્ન કરાયા હતા.પશરંતુ લગ્નના થોડા સમય બાદ સાસુ,સસરા સહિત ના સાસરીયાઓ દ્વારા આ પરણીતાને પઝવણી શરૃ કરાઈ હતી.અળખીબેન અને બદાભાઈ વણજારા આ પરણીતાને તુ ઘર નું કામ કાજ બરાબર કરતી નથી તેમ કહી મેણા ટોળા મારી માનસિક ત્રાસ આપતા હતા.જયારે શારદાબેન અને જીતુભાઈ નામના સંબંધીઓ દ્વારા પરણીતા વિરૃધ્ધ જાત જાતની ચઢામણી ઓ કરાતાં આ પરણીતા શારિરીક અને માનસિક ત્રાસ અનુભવી રહી હતી.આખરે ગત ગુરૃવારના રોઝ આ પરણીતા એ ત્રાસથી કંટાળી પોતાના શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી.ગંભીર રીતે ઘવાયેલ આ મહિલાને સારવાર હેઠળ ખસેડાઈ હતી. જયારે પરણીતા નગીનાબેન ના પિતા મથુરભાઈ મોરસીંગભાઈ વણજારા રહે.નારણપુર, તા.વડાલી, જિ.સાબરકાંઠા નાઓએ નોંધાયેલ ફરીયાદ બાદ ભિલોડા પોલીસે આરોપી અળખીબેન બદાભાઈ વણજારા,શારદાબેન જીતુભાઈ વણજારા,બદાભાઈ મંગાભાઈ વણજારા અને જીતુભાઈ બદાભાઈ વણજારા તમામ રહે.જનાલીટાંડા(ભિલોડા)નાઓ વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

(6:10 pm IST)