Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

PNB કૌભાંડ રોકવા એનડીએ સરકારે શું પગલાં લીધા ? ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાથી શું ફાયદો ?

સરકારની મિલીભગતથી સરકારનીનિરવ મોદી દેશ છોડી ભાગી ગયા:હવે પાસપોર્ટ રદ કર્યો :શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ ;પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડનું કૌભાંડ મામલે કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે શક્તિસિંહ ગોહિલે એવો સવાલ કર્યો છે કે કૌભાંડ ભલે યુપીએ સરકારના સમયમાં સામે આવ્યું હોવાનો આક્ષેપ થયો હોય પરંતુ આશરે ચાર વર્ષથી શાસન કરનારી એનડીએ સરકારે કૌભાંડ રોકવા શું પગલા ભર્યા ? શક્તિસિંહ ગોહિલે એવો આક્ષેપ કર્યો કે સરકારની  મિલીભગતથી સરકારની નિરવ મોદી દેશ છોડી ભાગી ગયા છે અને સરકારે હવે તેમનો પાસપોર્ટ રદ કર્યો છે પણ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાથી શો ફાયદો?

(9:02 am IST)