Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

રાજ્યમાં કોરોના થાક્યો : વધુ 704 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 518 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 2 લોકોના મોત :મૃત્યુઆંક 4365 થયો : કુલ 2,45,107 લોકોએ કોરોનાને હરાવ્યો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 99 કેસ, સુરતમાં 86 કેસ,વડોદરામાં 89 કેસ, રાજકોટમાં 76 કેસ, જામનગરમાં 17 કેસ,કચ્છમાં 16 કેસ, મહેસાણા અને જૂનાગઢમાં 14 -14 કેસ,ભાવનાગરમાં 11 કેસ, ભરૂચમાં 10 કેસ નોંધાયા: હાલમાં રાજ્યમાં 6400 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 518 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 704 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 518 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 704 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,45,107 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 2 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4365 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 95,79 થયો છે

  રાજ્યમાં હાલ 6400 એક્ટિવ કેસ છે. જેમાંથી 56 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 6347 દીઓ સ્ટેબલ છે,

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 518 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 99 કેસ, સુરતમાં 86 કેસ,વડોદરામાં 89 કેસ, રાજકોટમાં 76 કેસ, જામનગરમાં 17 કેસ,કચ્છમાં 16 કેસ, મહેસાણા અને જૂનાગઢમાં 14 -14 કેસ,ભાવનાગરમાં 11 કેસ, ભરૂચમાં 10 કેસ નોંધાયા છે

(8:32 pm IST)