Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

વડોદરાના કિશનવાડીમાં પ્રેમ સંબંધની શંકાએ યુવકની હત્યા :મૃતકના પરિવારજનોનો પોલીસ સ્ટેશને હોબાળો

વર્ષ 2018 માં તેમના દીકરા વિરુદ્ધ આરોપી અનિલ દ્વારા પોસ્કોની ખોટી ફરિયાદ કરાયાનો મૃતકની માતાનો આરોપ

વડોદરા : પ્રેમ સંબંધની શંકાએ વડોદરાના કિશનવાળી વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ મૃતકના પરિવારજનોએ વારસિયા પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવ્યો હતો. મૃતક વૃસાંકની માતાએ આક્ષેપ કર્યો હતો કે વર્ષ 2018 માં તેમના દીકરા વિરુદ્ધ આરોપી અનિલ દ્વારા પોસ્કોની ખોટી ફરિયાદ કરવામાં આવી હતી. અને તેની અદાવતમાં તેમના દીકરાની હત્યા કરાઈ છે. હાલ તો પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:18 pm IST)