Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

માનસિક બીમારીથી કંટાળી સુરતના 20વર્ષીય શખ્સે કાપોદ્રા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું

સુરત:માનસિક બિમારીના લીધે આજે સવારે પિતરાઇ ભાઇને મેસેજ કર્યા બાદ કોલેજીયન યુવકે ઉત્રાણ-કાપોદ્રામાં બ્રીજ પરથી નદીમાં છલાંગ મારીને જીવન ટુંકાવ્યુ હોવાની શકયતા છે.

ફાયર બ્રિગેડ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુળ અમરેલીના સાંવરકુડલાના મોલંડી ગામના વતની અને હાલમાં સરથાણામાં યોગી ચોક પાસે મધુરમ રેસીડન્સીમાં રહેતો 20 વર્ષીય અજય રમેશભાઇ અંતળા વતનમાં ટી.વાય બીકોમમાં એક્ષ્ટર્નલ તરીકે અભ્યાસ કરતો હતો.તે  સાત માસ પહેલા વતન થી સુરત પિતરાઇ ભાઇના ઘરે રહેતો હતો.અને તે વરાછામાં મીનીબજારમાં હીરાના કારખાનામાં કામ કરતો હતો.જોકે ગત રાતે નાઇટમાં નોકરી કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.બાદમાં અજયે આજે સવારે પોતાના મોબાઇલ પરથી પિતરાઇ ભાઇને મેસેજ ક્યો કે ભાઇ હું વિદાય લઇ રહ્યો છુ.જોકે તેમનો ભાઇ સવારે ઉઠીને તેનો મેસેજ વાચિને ચોકી ગયો હતો.અને તરત તેના કારખાને દોડી ગયા હતા.ત્યારે ત્યાં તે ન હોવાથી શોધખોળ આદરી હતી.

(5:26 pm IST)