Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

વિરમગામમાં જગદગુરૂશ્રી રામાનંદાચાર્ય મહારાજના ૭૨૦માં જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરાઇ

વિરમગામમાં શ્રી રામાનંદાચાર્ય મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી અને ધર્મસભા યોજાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :શ્રી રામાનંદી સાધુ યુવક મંડળ પરીવાર દ્વારા હિન્દુ ધર્મ ઉદ્ધારક જગતગુરૂ ૧૦૦૮ શ્રી રામાનંદાચાર્ય મહારાજની ૭૨૦માં જન્મ જયંતિ મહોત્સવની ગાયત્રી મંદિર ખાતે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામના રામજી મંદિર, સુથારફળી ચોક ખાતે થી  જગતગુરૂ ૧૦૦૮ શ્રી રામાનંદાચાર્ય મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા વિરમગામ શહેરના મુખ્યમાર્ગ પર ફરીને ગાયત્રી મંદિર ખાતે પહોંચી હતી. ગાયત્રી મંદિર ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આનંદ આશ્રામ દેકાવાડાના સંત કાળીદાસ બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થીત રહ્યા હતા.     આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામાનંદી સાધુ યુવક મંડળ, વિરમગામના પ્રમુખ દિલીપકુમાર રામાનંદી, ધર્મેશભાઇ વૈષ્ણવ, ઘનશ્યામદાસ સાધુ, હિતશભાઇ વૈષ્ણવ, જયેશભાઇ નિમ્બાર્ક, યોગેશભાઇ નિમ્બાર્ક સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.

(4:28 pm IST)