Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

પેટલાદમાં ગટરની કામગીરીના ખોદકામ દરમ્યાન જૂનું મકાન ધરાશાયી થતા અફડાતફડી મચી જવા પામી

આણંદ:પેટલાદના તીન બત્તી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વર્ષો જુની ગટરલાઈનની સમારકામ માટેની કામગીરી અંતર્ગત ખોદકામ કરતાં વર્ષો જુનું મકાન મોડી રાત્રે ધરાશાયી થઈ જતાં નાસભાગ મચી જવા પામી હતી.

પેટલાદ ખાતે આવેલ દેવકુવા પંમ્પીગ સ્ટેશન પાસે તીનબત્તી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર યોજના અંતર્ગત મુખ્ય પાઈપલાઈનની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના માટે જેસીબી મશીન દ્વારા વર્ષો જુની ગટરને ખોદકામ કરી કાયમી ઉભરાતી ગટરોની સમસ્યાનું નિરાકરણ લાવવાં માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જો કે કામગીરી અગાઉ નગરપાલિકા તંત્ર દ્વારા ગટરલાઈનને અડીને આવેલા વર્ષો જુના જર્જરીત મકાનોનો સર્વે કરી તેમાથી સાત જેટલા મકાનોનો વિમો પણ ઉતારવામાં આવ્યો હોવાનું જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું. 

(5:08 pm IST)