Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ખંભાત તાલુકાના ફીણાવ ગામની પ્રાથમિક શાળાના શૌચાલયમાંથી માંથી મૃત નવજાત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

ખંભાત:તાલુકાના ફીણાવ ગામની પ્રાથમિક શાળા નજીકના શૌચાલયમાંથી આજે સવારના સુમારે એક મૃત નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફીણાવ ગામે આવેલી પ્રાથમિક શાળા પાસેના જાહેર શૌચાલયમાં આજે સવારના એક મૃત નવજાત બાળક પડ્યું હોવાની જાણ સરપંચ હરેશભાઈ શંકરભાઈ પટેલને થતાં જ તેઓ તુરંત જ ત્યાં પહોંચી ગયા હતા અને ખંભાત રૂરલ પોલીસને જાણ કરતાં તેઓ પણ આવી પહોંચ્યા હતા અને મૃત બાળકને બહાર કાઢીને પીએમ માટે મોકલી આપ્યું હતુ. પોલીસના જણાવ્યા અનુસાર અધુરા માસે જન્મેલા આ બાળકનો કોઈ વ્યક્તિઓ દ્વારા નિકાલ કરવાના ઈરાદે રાત્રીના સુમારે ઉક્ત જગ્યાએ ફેંકી દેવામાં આવ્યું હોવાની શક્યતા જોવાઈ રહી છે. પોલીસે સરપંચની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને આસપાસના વિસ્તારોમાં કોઈ મહિલા ગર્ભવતિ હતી કે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 

(5:45 pm IST)