Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વડોદરાના માંજલપુર વિસ્તારમાં કરજણ લગ્નપ્રસંગમાં જવું પરિવારને ભારે પડ્યું:બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોનાના દાગીનાની ઉઠાંતરી કરી છૂમંતર.....

વડોદરા: શહેરનામાંજલપુર વિસ્તારમાંથી લગ્નપ્રસંગ માણવા માટે કરજણ ગયેલા પરિવારના ઘરને નિશાન બનાવી ચોરો તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ઉઠાવી ગયા  હતાં.

આ અંગેની વિગત એવી છે કે માંજલપુરમાં અવધુત ફાટક પાસેની કૌસ્તુભપાર્ક સોસાયટીમાં રહેતા જીતેન્દ્રસિંહ જયસિંહ બારડ મકરપુરાની ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના કરજણમાં રહેતા સંબંધીના ઘેર લગ્ન  હોવાથી તેઓ પરિવારના સભ્યો સાથે તા.૧૩ના રોજ કરજણ ગયા  હતાં. બીજા દિવસે તેમને ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.

ઘરમાં મૂકેલી તિજોરી અને કબાટમાંથી ચોરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૃા.૧.૪૦ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં. આ બનાવ અંગે જીતેન્દ્રસિંહે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(5:44 pm IST)