Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વિરમગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી પર અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ ખાતે ગોલવાડી દરવાજા પાસે હવે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિરમગામ શહેરના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના વિરમગામ શહેર પ્રમુખ ચેતન કંસારાએ જણાવ્યું હતું.

(9:34 am IST)