Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

એ.ડી.સી બેંક દ્વારા વિરમગામ તાલુકાની વિવિધ શાખાઓનો ગ્રાહક સંવાદ કાર્યક્રમ યોજાયો

બેંકની વિવિધ યોજનાઓ તેમજ ગ્રાહકોના પ્રશ્નોની આપ-લે કરી ગ્રાહકોને માર્ગદર્શન આપવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લી ના વિરમગામ તાલુકાની વિરમગામ શાખા, વિરમગામ - બહુચરાજી શાખા, હાંસલપુર ચાર રસ્તા શાખા, કાલીયાણા શાખા, મોટા ગોરૈયા શાખા, વણી શાખા, મણીપુરા શાખા, મેમદપુરા હિરાપુરા શાખાનો ગ્રાહક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ગ્રાહક સંવાદ કાર્યક્રમમાં એડીસી બેંકના ડિરેકટર તથા પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, મંડળીના હોદ્દેદારો, બેંકના ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બેંકની વિવિધ યોજનાઓ તેમજ ગ્રાહકોના પ્રશ્નોની આપ-લે કરી ગ્રાહકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(7:49 pm IST)