Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

પાલનપુરની મોદી ઓર્થો, હોસ્પિટલમાં વડગામના કોદરાલીના યુવકનું મોત થતા પરિજનોનો હોબાળો

તબીબની બેદરકારીથી મોત નીપજ્યું હોવાના આક્ષેપો

પાલનપુરની મોદી ઓર્થોપેડિક લાઈફકેર હોસ્પિટલમાં દર્દીનું મોત તબીબની બેદરકારીથી થયાના આક્ષેપો સાથે મૃતકના સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો.

  મૃતકના સ્વજનના જણાવ્યા મુજબ, વડગામ તાલુકાના કોદરાલી ગામના નરેશ પરમાર નામના યુવકનો બે માસ પૂર્વે અકસ્માત થયો હતો. ત્યારે પગમાં સળિયો નાખ્યો હતો. જે પગમાં રહેલો સળિયો કઢાવવા તેને મોદી ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન નરેશ પરમારનું મોત થતાં પરીવારજનોએ હોબાળો કર્યો હતો.

   ઓપરેશન પહેલા બેહોશ કરવા આપેલા ઘેનનો ડોઝ વધુ પડવાથી યુવકનું મોત થયું. હોવાના આક્ષેપ સાથે પરિવારજનો એ ભારે હોબાળો મચાવ્યો હતો. મૃતકના પરિવારજનો હોસ્પિટલના તબીબ ડૉ.મિલન મોદી સામે પોલીસ કેસ કરવાની માંગ કરી હતી. જોકે, અંતે સમાધાન થતા ઘી ના ઠામમાં ઘી ઢળ્યું હતું.

(8:19 pm IST)