Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

કોંગ્રેસના રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનમાં દિગ્ગ્જ નેતાઓ જોડાશે રાજીવ સાતવ સાથે અહમદ પટેલ અને અશોક ગેહલોત આવશે

દેશમાં મંદી અને મોંઘવારી મુદ્દે કોંગ્રેસ આક્રમકઃ મૂડમાં : 25મીએ ગુજરાતમાં વિરોધ પ્રદર્શન : 30મીએ ભારતભરના કાર્યકરો દિલ્હીમાં

 

અમદાવાદ : કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં કરાતું વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ આગામી 25 તારીખે ગુજરાતમાં વિરોધ પ્રદર્શનમાં જોડાશે. તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓ પણ વિરોધમાં જોડાશે.

   કોંગ્રેસ દ્વારા મોંઘવારી, મંદી સહિતના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસ દ્વારા આગામી 30 તારીખે ભારતભરના કોંગ્રેસી કાર્યકરો દિલ્હીમાં એકઠા થશે. જેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને મોટાભાગના ધારાસભ્ય દિલ્હીના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં ગુજરાતથી કુલ 5 હજારથી વધુ કાર્યકરો દિલ્હી જશે. નોંધનીય છેકે આ અંગે દિલ્હીમાં મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે.

(9:21 pm IST)