Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરતના નાના વરાછા મોટા વરાછાને જોડાતા બ્રિજ પરથી છલાંગ લગાવનાર બિલ્ડરનો મૃતદેહ ત્રણ દિવસની શોધખોળ બાદ મળી આવ્યો

સુરત: શહેરના નાના વરાછા અને મોટા વરાછાને જોડતા સવજી કોરાટ બ્રીજ પરથી તાપી નદીમાં છલાંગ મારનાર  બિલ્ડરની આજે ત્રીજા દિવસે   ફાયરજવાનોએ નદીમાં   શોધખોળ કરતા અંદાજિત ત્રણ કિલોમીટર દૂરથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

ફાયરબ્રિગેડના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ નાના વરાછાના ચીકુવાડી પાસે સ્નેહ સ્મૃતિ સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય બિલ્ડર શૈલેષભાઇ પ્રેમજીભાઇ વઘાસીયા ગુરૃવારે સવારે  સવજી કોરાટ બ્રીજ પરથી નદીમાં કુદી પડયા હતા.

(5:59 pm IST)