Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

દિવાળીમાં વતનમાં જવું હીરાના વેપારીને ભારે પડ્યું: બંધ મકાનનો લાભ લઇ તસ્કરોએ 60 હજાર સહીત દાગીનાની તસ્કરી કરી

સુરત:દિવાળીમાં વતન ગયેલા કતારગામના હીરા વેપારીના ઘરમાંથી તસ્કરો આખી તિજોરી જ ઉઠાવી ગયા હતા. જેમાં રોકડા રૃા.60 હજાર, વિદેશી ચલણ અને દાગીના હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના જસદણના જશાપર ગામના વતની અને સુરતમાં કતારગામ લક્ષ્મીકાંત હાથી મંદિર રોડ સ્થિત સર્જન સોસાયટી ગેટ નં.2 ઘર નં.33 માં રહેતા 43 વર્ષીય જીતેન્દ્રભાઈ પ્રાગજીભાઈ પાનસુરીયાની વરાછા મિનીબજારમાં હીરાની ઓફિસ  છે. વેકેશનમાં પત્નીઅને પુત્ર સાથે તેઓ વતન ગયા હતા. દરમિયાન તા.28મીએ તેમને ઘર સામે રહેતા રતિકાકાએ કોલ કરી ઘરમાં ચોરી થયાની જાણ કરી હતી.

(5:43 pm IST)