Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરતના જહાંગીરપુરામાં કેનાલ નજીક ઝાડીમાંથી નવજાત બાળકી ત્યજી દીધેલ હાલતમાં મળી આવતા ચકચાર

સુરત: શહેરના જહાંગીરપુરામાં વૈશ્નોદેવી રોડ પર કેનાલ પાસે ઝાડીમાંથી આજે બપોરે એક દિવસની નવજાત બાળકી કપડામાં વિટળાયેલી હાલતમાં મળી આવી હતી. તેના પગમાં ઇજાના નિશાન મળી આવ્યા હતા.ત્યાંથી પસાર થતા વ્યકિતની નજર પડતા ૧૦૮માં ફોન કર્યો હતો. બાળકીને એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે અને તેની સારવાર ચાલી રહી છે.

(5:41 pm IST)