Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

કાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બીન સચિવાલય કલાર્કની ભરતી માટે પરીક્ષા

૧૭૭ પરીક્ષા કેન્દ્રો ઉપર પ૩૩૮૬ ઉમેદવારો પરીક્ષા આપશે

રાજકોટ, તા., ૧૬: આવતીકાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બીન સચિવાલય કલાર્ક માટે પરીક્ષા યોજાશે.

રાજકોટ જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા  પરીક્ષાનું નિરીક્ષણ થઇ રહયું છે. રાજયમાં કુલ ૪૦૦૦ કારકુન માટે તા.૧૭-૧૧-ર૦૧૯ રવિવારે સમય ૧ર થી ર દરમિયાન પરીક્ષા યોજાશે. કુલ ૧૭૭ બિલ્ડીંગમાં ૧૭૮૦  પરીક્ષાના બ્લોક રાખવામાં આવ્યા છે. જેમાં કુલ પ૩૩૮૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.  પરીક્ષા સુચારૂ રીતે યોજાય તે માટે ૪ મામલતદારની ફલાઇંગ  સ્કવોડ ગાંધીનગરની ટીમ કાર્યરત રહેશે.

(3:38 pm IST)