Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

આપણે બધા માયકાંગલા છીએ.:ચૂંટણીમાં પીએમ મોદીએ આવવું પડે તો આપણે કેટલા નગુણા છીએ એ સાબિત થાય :પરેશ રાવલ

પીએમને ગુજરાતની ચિંતા કરવી પડે એ જ આપણી નગુણાઇ:સાંસદ પરેશ રાવલે સ્નેહમિલનમાં કહ્યું તડ ને ફ્ડ

અમદાવાદમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સાંસદ પરેશ રાવલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ જો પીએમ મોદીએ પ્રચાર માટે આવવું પડે તો આપણે કેટલા નગુણા છીએ એ સાબિત થાય છે.

 પીએમને ગુજરાતની ચિંતા કરવી પડે એ જ આપણી નગુણાઇ છે તેમ પરેશ રાવલે જણાવ્યું. તેમણે કહ્યું કે આપણા બધાનું અસ્તિત્વ જોખમમાં આવી જાય તેવો તેમને ડર લાગે છે. પરેશ રાવલે કટાક્ષ કરતા કહ્યું કે આપણે બધા માયકાંગલા છીએ.

  આપણે ઘોરખોદીયાઓ વચ્ચે રહી રહ્યા છીએ કે જેઓ ધીમે-ધીમે એક થઇ રહ્યા છે અને હિંદુઓની એકતાને ભૂંસવા માંગે છે. પરંતુ બધા સામે લડી શકવાની ક્ષમતા એકમાત્ર પીએમ મોદીમાં જ છે તેમ પરેશ રાવલે જણાવ્યું હતું

(10:22 pm IST)