Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રાજપીપળા ખાતે VHP,બજરંગ દળ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નવરાત્રી પૂર્ણ થતાં દશેરાના પાવન પર્વના દિવસે પરંપરાગત રીતે શસ્ત્રનું પુંજન કરવામાં આવતું હોય છે જેમાં નર્મદા જિલ્લામાં પણ આ શુભ દિવસે VHP,બજરંગ દળ દ્વારા પૂંજન કરવામાં આવ્યું હતું.
દશેરાના પર્વ નિમિત્તે રાજપીપળા ના લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પદાધિકારી અને કાર્યકર્તા દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા જિલ્લા અધ્યક્ષ અજીત સિંહ રાઠોડ કોષાધ્યક્ષ ગૌતમભાઈ પટેલ જિલ્લા મંત્રી સુજલ મિસ્ત્રી,બજરંગદળ સંયોજક નર્મદા જિલ્લા પુષ્પરાજ સિંહ શહેર મંત્રી પુથ્વીરાજ, દુર્ગાવાહિની પ્રમુખ ભામિની બેન તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

(10:06 pm IST)