Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

સુરતના ઉઘના વિસ્તારમાં પતિ સહીત બાળકોને રૂમમાં બંધ કરી માનસિક બીમાર રહેતી પરિણીતાએ અગાસીમાંથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

સુરત: પતિ અને  સંતાનોને રૃમમાં બંધ કરીને ઉધનાની માનસિક બિમાર મહિલાએ આજે સવારે ચોથા માળે અગાસીમાંથી નીચં ઝંપલાવીને જીવન  ટુંકાવ્યુ હતુ.

પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ ભેસ્તાન ખાતે આવાસમાં રહેતા સલમાબાનુ ઇમરાન શેખની છેલ્લા કેટલા સમયથી માનસિક બિમારીની  દવા ચાલતી હતી. જોકે આજે તેને પતિ ડોકટર પાસે લઇ જવાના હતા. તે પહેલા  સવારે સલમાબાનુએ પતિ અને સંતાનોને એક રૃમમાં બંધ કરીને દોડીને અગાસીમાં જતી રહી હતી.  તેના પતિએ  પત્નીને બચાવવા માટે બુમો પાડતા તરત પડોશીઓ દોડી આવીને  દરવાજો ખોલ્યો હતો અને  પતિ અગાસીમાં  દોડી ગયો હતો. પણ તે પહેલા સલમાબાનુ ચોથા માળેથી નીચે કુદી પડી હતી. જેમાં  તેને ગંભીર ઇજા થતા મોત થયુ હતુ. તેને  ચાર સંતાન છે. તેના પતિ આલુપુરીના કામ સાથે સંકળાયેલા છે.

 

(5:44 pm IST)