Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

નડિયાદ તાલુકાના કણજરી-બોરીયાવી નજીક રેલવે સ્ટેશન માંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા મૃત્યુ અંગે તપાસ શરૂ

નડિયાદ તાલુકાના કણજરી-બોરીયાવી રેલવેસ્ટેશનમાં આવેલ એલસી ગેટ નં ૨૬૫ નજીક ગતરોજ મોડી સાંજના સમયે આશરે ૩૨ વર્ષની ઉંમરના એક અજાણ્યાં યુવકની લાશ મળી આવી હતી. આની જાણ રેલવે પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી આપી હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને યુવકની ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે.

(5:48 pm IST)