Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

એલઆરડી પરીક્ષાની ભરતી પ્રક્રિયા પણ વિવાદમાં: ચેરમેને કહ્યું ભરતી પ્રક્રિયા હાથ ધારશે:જલ્દી પરીક્ષાના પરિણામ જાહેર કરાશે

એલઆરડી પરીક્ષાની ભરતી પ્રક્રિયામાં ફેરફારના મેસેજ વાયરલ થયા હતા.

અમદાવાદ : બિન સચિવાલયની પરીક્ષામાં લાયકાત સુધારા બાદ એલઆરડી પરીક્ષાની ભરતી પ્રક્રિયામાં ફેરફારના મેસેજ વાયરલ થયા હતા.

જોકે તેના પર લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. બોર્ડના ચેરમને વિકાસ સહાયે કહ્યુ છે કે, નિયત ધારાધોરણ પ્રમાણે જ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

લોકરક્ષક કેડરની ભરતી પ્રકરિયા આખરી તબક્કામાં પહોંચી છે. તેમજ ટૂંક સમયમાં જ લોકરક્ષક ભરતી દળની પરીક્ષાના પરિણામ જાહેર થશે.

(12:54 pm IST)