Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

જરૂર પડે તો વધુ ખેતરોમાં પાક કાપણી અખતરા કરવા સરકારનો આદેશ

પાક વિમામાં અન્યાયની ખેડુતોની લાગણી સંદર્ભે પ્રયાસ

રાજકોટ તા. ૧૬ : રાજય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા પાક વીમાના દાવાઓની ગણતરી કરવા માટે પાક કાપણી અખતરા જરૂર પડે તો વધુ ખેતરોમાં કરવા સરકારે તંત્રને સૂચના આપી છે.

નિયમ મુજબ ગામ દીઠ મહતમ ૪ ખેતરોમાંથી જ ઉપજના નમૂના લેવાથી અન્યાય થવાની ખેડૂતોની લાગણીને ધ્યાને રાખીને સરકારે જરૂર પડે ત્યા ચારથી વધુ ખેતરોમાંથી નમૂના લેવા જણાવ્યું છે કોઇને અન્યાય ન થાય તેની કાળજી રાખવા સૂચના આપી છે. પ્રવર્તમાન સંજોગોમાં સરકાર પાક વીમા બાબતે સખતાઇના બદલે 'છુટછાટવાળુ' વલણ રાખવા માંગતી હોવાનો ખ્યાલ ઉપસે છે.

(3:43 pm IST)