Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

નડિયાદમાં સતત બીજા દિવસે આશાસ્પદ યુવકે આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો

ખેડા:જિલ્લાના વડા મથક નડિયાદમાં સતત બીજા દિવસે એક આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી દેતા ચકચાર મચી છે.મંગળવારના રોજ બનેલ આત્મહત્યાના કેસની તપાસ થઇ નતી ત્યા આજે ફરી બીજા યુવકે આપઘાત કરી લેતા જિલ્લાવાસીઓમાં અરેરાટી ફેલાઇ છે.

નડિયાદ શહેરની જય અંબેનગર સોસાયટીમાં રહેતા વિશાલભાઇ શંકરભાઇ ગોહીલ ઉં.૨૬ એ કોઇ અગ્મ્ય કારણોસર સેલફોર્સનો પાવડર ગળી આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની જાણ પરિવારજનોને થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.પરંતુ હોસ્પિટલના તબીબોએ કેસ લેવાની ના પાડતા વિશાલભાઇને કરમસદ લઇ ગયા હતા.જ્યા ડૉકટરે તેમણે મૃત જાહેર કર્યા હતા.

આ અંગે મૃતકના ભાઇનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે કોઇ એક છોકરી વિશાલભાઇને છેલ્લા કેટલાય સમય થી ધમકાવતી ઉપરાંત પૈસૈની માંગણી કરતી હોવાના આક્ષેપો કર્યા છે.

વળી થોડાદિવસ અગાઉ એ છોકરી એક છોકરા સાથે બંદુક લઇને આવી હતી.આ કારણોસર વિશાલભાઇએ દવા પી પોતાનુ જીવન ટુકાવ્યુ છે.સ્થાનિક પોલીસને વિશાલભાઇ પાસેથી એક સ્યુસાઇટનોટ મળી આવી છે જેમાં કોઇ છોકરી દ્વારા વારંવાર પૈસાની માંગણી કરાતી હોવાનુ જણાવ્યુ છે.આ અંગે સ્થાનિક પોલીસનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે આ બનાવ અંગે હાલ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ સાચી હકીકત સામે આવશે.

(5:37 pm IST)