Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રાજેન્દ્ર ત્રિવેદી સરકારમાં નંબર ટુઃ નાણા ખાતુ મળવાની સંભાવના

રાજકોટ તા. ૧૬ :.. આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની કેબીનેટમાં ર૪ પ્રધાનોએ શપથ લીધા છે. જેમાં સૌ પ્રથમ વડોદરાના રાવપુરાના શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શપથ લીધા છે. શપથવિધીમાં નામનો ક્રમ જોતા શ્રી રાજેન્દ્ર ત્રિવેદીનું સ્થાન સરકારમાં હવે નીતિન  પટેલની જગ્યાએ નંબર ટુ પર રહેવાનો વર્તારો છે. તેમને નાણા જેવુ મહત્વનું ખાતુ સોંપાય તેવી પ્રબળ સંભાવના છે. વિકલ્પે શિક્ષણ, કાયદો, આરોગ્ય, મહેસુલ વિભાગ મળી શકે છે.

શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અગાઉ વડોદરામાં શિક્ષણ સમિતિના ચેરમેન, રાજયમાં યુવા સેવા સાંસ્કૃતિક મંત્રી, વિધાનસભાના અધ્યક્ષ વગેરે પદ પર રહી ચૂકયા છે. રાજકીય અને વહીવટી બહોળો અનુભવ ધરાવે છે. મો. નં. ૯૮રપ૦ ૬૦૩૦ર ગાંધીનગર.

(4:16 pm IST)