Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ભાજપનો ઉકળતો ચરૂ કઇ રીતે શાંત થયો ?

અમદાવાદ : ભાજપમાં ગઇકાલે ઉભી થયેલી અસંતોષની આગ ઠારવામાં હાઇકમાન્ડને સફળતા મળી છે. નારાજ પ્રધાનોને કડક શબ્દોમાં કહી દેવાયું હતું કે ઉપરથી આદેશ છે અને ચુપચાપ કામે લાગી જાવ આ આદેશના પગલે નારાજ પ્રધાનોએ પોતાની જીદ છોડી હતી અને મૌન સેવી લીધુ હતુ. અત્રે એ નોંધનીય છે કે નારાજ નેતાઓને પગલે શપથવિધિ મોકુફ રાખવામાં આવી હતી. આ નારાજીના પડઘા  દિલ્હી સુધી પડયા હતા. જે લોકો નારાજ અને અસંતોષ જણાતા હતા. તે બધાના સુર આજે સવારથી બદલાઇ ગયા હતા અને ભાજપના ઘી ના ઠામમાં ઘી પડે તેવો માહોલ જોવા મળ્યો હતો.

(4:15 pm IST)