Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

અમદાવાદના અમરાઈવાડીમાં અસામાજિક તત્વોના ટોળાએ ત્રણ લોકો પર તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો

મણિનગર અને અમરાઈવાડી પોલીસ પહોંચી : ઘવાયેલ ત્રણેયને હોસ્પિટલે ખસેડાયા :પરિજનો સહીત મોટી સંખ્યામાં લોકો એકત્ર

અમદાવાદના અમરાઈવાડીમાં અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા તેન લોકો ઘાયલ થયા છે જેને એલજી હોસ્પિટલે ખસેડ્યા છે જ્યાં તેના પરિવારજનો સહીત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ઘટનાની જાણ થતા મણિનગર પોલીસ અને અમરાઈવાડી પોલીસ દોડી ગઈ છે

 આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદના અમરાઈવાડીમા રામરાજયનગર પાસે શિવશકિત એપાટમેન્ટમા રહેતા ત્રણેક વ્યક્તિઓ પર દશ થી બાર અસામાજિક તત્વો એ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા ત્રણેય ને સારવાર માટે એલ જી હોસ્પિટલ ખસેડાયા છે

  ઘટનાની જાણ થતા મણિનગર પોલિસ તેમજ અમરાઈવાડી પોલિસ નો કાફલો એલ હોસ્પિટલ પહોંચ્યો છે ત્રણેય યુવકો ના પરિજનો સહિત પરિચિતો મોટી સંખ્યા મા એલ જી ખાતે એકત્રિત થયા છે

(11:42 pm IST)